Narayana Murthy: ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસ (Infosys) ના સહ-સ્થાપક એનઆર નારાયણમૂર્તિ (NR Narayana Murthy) ફરી એકવાર તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે અગાઉ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની વકીલાત કરી હતી, પરંતુ હવે તેમણે યુવાનોને અઠવાડિયામાં 72 કલાક કામ કરવાનો સૂચન આપ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોતાના આ સૂચનને યોગ્ય ઠેરવવા માટે તેમણે ચીનના વિવાદાસ્પદ '9-9-6' વર્ક કલ્ચરનું ઉદાહરણ આપ્યું છે.

