PM Modi Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત ના 132મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આ સંકટ વચ્ચે પીએમ મોદીએ ખાસ કરીને ખાડી દેશોનો આભાર માન્યો હતો. ખાડી દેશોમાં અત્યારે લગભગ 1 કરોડ જેટલા ભારતીયો રહે છે, જેમની સુરક્ષા માટે આ દેશોએ ભારતને પૂરો સાથ આપ્યો છે.

