India population: એક સમયે ભારતની સતત વધતી જતી વસ્તી એક મોટી ચિંતાનો વિષય હતી, પરંતુ હવે જાણકારો એક નવા અને આશાસ્પદ અંદાજ સાથે સામે આવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, વર્ષ 2080 સુધીમાં ભારતની વસ્તી 180થી 190 કરોડની આસપાસ સ્થિર થઈ જશે અને આ પછી વસ્તી વૃદ્ધિ લગભગ અટકી જશે. આનો અર્થ એ થયો કે ભારતની વસ્તી ક્યારેય 2 અબજના આંકડાને પાર નહીં કરે.

