Puri Jagannath Temple: તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં મળેલા દાન અંગે કેટલાક વિવાદો અને આક્ષેપો સામે આવ્યા છે. આ માહોલ વચ્ચે, ઓડિશાના પુરી સ્થિત શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ એક ખૂબ જ સકારાત્મક અને પારદર્શક પગલું ભર્યું છે. મંદિર પ્રશાસને પોતાની બેંકમાં જમા રકમ અને કમાણીનો પૂરો રિપોર્ટ સાર્વજનિક કરી દીધો છે. લેટેસ્ટ આંકડાઓ મુજબ, ભગવાન જગન્નાથના બેંક ખાતાઓમાં અત્યારે લગભગ 1912 કરોડ રૂપિયા જમા છે.

