Death Rate in Gujarat: ગુજરાતમાં જન્મ અને મરણના આંકડાઓને લઈને સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ આંકડાઓ રાજ્યની વસ્તી અને આરોગ્ય વિષયક સ્થિતિનો ચિતાર આપે છે. વર્ષ 2023ના ડેટા પર નજર કરીએ તો, રાજ્યમાં સરેરાશ દર કલાકે 56 વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 4,87,971 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ આંકડા પરથી કહી શકાય કે રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 1337 લોકોનું કોઈને કોઈ કારણસર અવસાન થાય છે.

