ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI171) સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતાં ટેકઓફ દરમિયાન થોડી જ મિનિટોમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડતાં મોટી જાનહાનિ થઈ. પ્રાથમિક અહેવાલો અનુસાર, 150 જેટલા લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જોકે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા ઘણા ઇન્ટર્ન ડોક્ટર્સ અને મેડિકલ વિદ્યાર્થીઓના મોતની આશંકા છે, જેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

