કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે એક નવી અને અસરકારક પહેલ 'E-ZERO FIR'ની જાહેરાત કરી છે. આ સિસ્ટમની શરૂઆત હાલમાં દિલ્હીમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે, જે ભવિષ્યમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સાયબર ગુનાઓ પર ઝડપથી નિયંત્રણ મેળવવું અને પીડિતોને તાત્કાલિક ન્યાય પૂરો પાડવાનો છે.