કેન્દ્ર સરકારના મંત્રીઓ અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરી એકવાર NDAની વિચારધારાથી અલગ મંતવ્યો ધરાવતા જોવા મળી રહ્યા છે. ચિરાગ પાસવાને ફરી એકવાર જાતિ ગણતરી પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે જાતિ આધાારીત વસ્તી ગણતરી કરવામાં આવે. આમ કહીને ચિરાગ પાસવાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવની માંગના સમર્થનમાં ઉભા છે, આપને જણાવીએ કે તાજેતરમાં જ તેમણે લેટરલ એન્ટ્રીના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો.

