Maharashtra Political News: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સત્તા પર રહેલા ‘મહાયુતિ’ ગઠબંધનમાં બધું સમુસૂતરું ચાલતું નથી તેવા સંકેતો મળી રહ્યા છે. ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચે અંદરખાને ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. આ આગમાં ઘી હોમવાનું કામ ભાજપના જ એક નેતા અને રાજ્ય મંત્રી ગણેશ નાઈકે કર્યું છે. નાઈકે ઉપ ઉપ મુખ્યમંત્રી શિંદેનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા અને એક મોટી ચેતવણી આપી દીધી હતી.

