Pahalgam terrorist attack: લોકસભામાં આજે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા શરૂ થઇ છે, જ્યારે રાજ્યસભામાં આ મુદ્દે મંગળવારે ચર્ચા થશે. રાજ્યસભામાં આ માટે 9 કલાકનો સમય નક્કી કરાયો છે. આ દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે ઓપરેશન સિંદૂર અને સરકારની નીતિ અંગે સવાલો ઉઠાવ્યા છે.