Get App

રાજકોટ TRP અગ્નિકાંડ: કોંગ્રેસની રેલી પર પોલીસની કાર્યવાહી, નેતાઓની અટકાયત

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ “ભાજપ હાય હાય”ના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મ્યુનિસિપલ કમિશનરની ઑફિસ સુધી જવાની હતી, જેમાં મ્યુ. કમિશનરનો ઘેરાવ કરવાનો પ્લાન હતો. જોકે, રેલી શરૂ થતાંની સાથે જ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી.

MoneyControl Newsઅપડેટેડ May 20, 2025 પર 1:02 PM
રાજકોટ TRP અગ્નિકાંડ: કોંગ્રેસની રેલી પર પોલીસની કાર્યવાહી, નેતાઓની અટકાયતરાજકોટ TRP અગ્નિકાંડ: કોંગ્રેસની રેલી પર પોલીસની કાર્યવાહી, નેતાઓની અટકાયત
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ “ભાજપ હાય હાય”ના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Protest again over TRP fire incident: ગત વર્ષે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા આયોજિત રેલી દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. આ રેલીની શરૂઆત થતાંની સાથે જ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરી લીધી હતી. આ ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે 6 દિવસના આંદોલનની ઘોષણા કરી છે, જે 25 મે સુધી ચાલશે.

TRP અગ્નિકાંડની દુ:ખદ યાદ

25 મે, 2024ના રોજ રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગેમ ઝોન પાસે ફાયર NOC (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) નહોતું, જેના કારણે આ ઘટનાએ રાજ્યભરમાં હલચલ મચાવી હતી. હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટીની ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, પરંતુ હજુ સુધી પીડિતોના પરિવારોને પૂરતો ન્યાય મળ્યો નથી.

રેલી પર પોલીસની કડક કાર્યવાહી

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ “ભાજપ હાય હાય”ના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મ્યુનિસિપલ કમિશનરની ઑફિસ સુધી જવાની હતી, જેમાં મ્યુ. કમિશનરનો ઘેરાવ કરવાનો પ્લાન હતો. જોકે, રેલી શરૂ થતાંની સાથે જ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી. સાવચેતીના ભાગરૂપે મનપા ઑફિસ આગળ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન જનરલ બોર્ડની બેઠકમાં પણ કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિરોધની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

વિપક્ષ નેતાનો આક્ષેપ: “મ્યુ. કમિશનર ભાજપના ઈશારે કામ કરે છે”

વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો કે, મ્યુનિસિપલ કમિશનર ભાજપના નેતાઓના ઈશારે કામ કરે છે. તેમણે જણાવ્યું કે, “અમે વારંવાર ફરિયાદી બનીને પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા રજૂઆતો કરી છે, પરંતુ એક વર્ષ વીતવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.” સાગઠિયાએ વધુમાં કહ્યું કે, TRP અગ્નિકાંડમાં દોષનો ટોપલો તેમના પર ઢોળવામાં આવ્યો છે, પરંતુ ડિમોલિશન નોટિસને અટકાવનાર ભાજપના નેતાઓ હોવાનું સ્પષ્ટ છે. આમ છતાં, તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો