Lok Sabha Elections: ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા વિરુદ્ધ બીજેપી સાંસદ હેમા માલિની વિશે આપેલા નિવેદનને લઈને કાર્યવાહી કરી છે. તેમના ચૂંટણી પ્રચાર પર 48 કલાક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મથુરાના બીજેપી સાંસદ અને અભિનેત્રી હેમા માલિની વિરુદ્ધ તેમના નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પેનલે સુરજેવાલા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કારણ બતાવો નોટિસ ઇશ્યું કરી હતી.

