ભારતે છેલ્લા એક દાયકામાં ગરીબી નાબૂદીના મોરચે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વર્લ્ડ બેન્કના તાજેતરના અહેવાલ 'પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રીફ' અનુસાર, ભારતે 2011-12થી 2022-23 દરમિયાન 17.1 કરોડ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આ સમયગાળા દરમિયાન અત્યંત ગરીબીનો દર 16.2%થી ઘટીને માત્ર 2.3% થયો છે. આ સાથે ભારત હવે લોઅર-મિડલ-ઇનકમ દેશોની શ્રેણીમાં સામેલ થયું છે. રોજગારની તકોમાં પણ વધારો થયો છે, ખાસ કરીને મહિલાઓ માટે, પરંતુ બેરોજગારી અને અસ્થાયી નોકરીઓ જેવી સમસ્યાઓ હજુ પણ યથાવત છે.