Manipur violence: ગયા મહિને મણિપુરમાં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે વંશીય અથડામણો ફાટી નીકળ્યા ત્યારથી ઓછામાં ઓછા 98 લોકો માર્યા ગયા છે અને 300 થી વધુ ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે મણિપુર લગભગ એક મહિનાથી વંશીય હિંસાથી પ્રભાવિત છે અને આ સમયગાળા દરમિયાન રાજ્યમાં અથડામણમાં વધારો જોવા મળ્યો છે. થોડા અઠવાડિયાની શાંતી પછી, ગયા રવિવારે સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. અધિકારીઓએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે અથડામણમાં મૃત્યુઆંક વધીને 98 થઈ ગયો છે.

