જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોટા પાયે ટ્રાવેલ બુકિંગ રદ થઈ રહ્યા છે, જેના કારણે પર્યટન ઉદ્યોગને ભારે નુકસાન થવાની ભીતિ છે. ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ્સ જેવા કે ક્લિયરટ્રીપ, મેકમાયટ્રીપ અને ઈઝમાયટ્રીપ મુસાફરોને મફત તારીખ ફેરફાર અને કેન્સલેશન ચાર્જમાં રાહત આપવા માટે એરલાઈન્સ અને હોટેલ્સ સાથે સહકાર આપી રહ્યા છે. આ હુમલાથી પર્યટકોમાં ડર ફેલાયો છે, જેની અસર જમ્મુ-કાશ્મીરના પર્યટન પર આધારિત આજીવિકા પર પડી શકે છે.

