જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત મંગળવારે, 22 એપ્રિલ 2025ના રોજ, આતંકી સંગઠન TRF દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલામાં 28 હિન્દુ પુરુષોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં સુરતના એક બેન્ક મેનેજર શૈલેષ કળથિયાનું પણ મોત થયું છે. આ ઘટનાના ચક્ષુદર્શી શૈલેષના પુત્રએ મીડિયા સમક્ષ આખી ઘટનાનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે.

