જલવાયુ પરિવર્તનના કારણે પીગળતા ગ્લેશિયર ફક્ત સમુદ્રનું સ્તર જ નહીં, પરંતુ વિશ્વભરમાં જ્વાળામુખી વિસ્ફોટોને વધુ વિનાશક બનાવી શકે છે. 8 જુલાઈ 2025ના રોજ પ્રાગમાં યોજાયેલી ગોલ્ડશ્મિટ કોન્ફરન્સ 2025માં પ્રસ્તુત એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે, ગ્લેશિયરનું પીગળવું જ્વાળામુખીઓને વધુ વખત અને વધુ વિસ્ફોટક રીતે ફાટવા માટે પ્રેરી શકે છે, જેનાથી વૈશ્વિક આબોહવા સંકટ વધુ ગંભીર બની શકે છે.