Coronavirus Update: દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક જ દિવસમાં કોરોનાના કુલ 9,355 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે એટલે કે 26 એપ્રિલે કુલ 9,629 કેસ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 57,410 થઈ ગઈ છે. જ્યારે ગઈકાલે એક્ટિવ દર્દીઓની સંખ્યા 61,013 હતી. એક જ દિવસમાં કોરોના સંક્રમણને કારણે 26 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 5,31,424 સંક્રમિત દર્દીઓના મોત થયા છે.

