India China Trade Relations: ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવી શકે છે. સરહદ પરના તણાવ બાદ ભારતે ચીન સામે લાલ આંખ કરી હતી, પરંતુ હવે દેશના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પોતાની 'જૂની સ્ક્રિપ્ટ' બદલવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકાર ચીન સાથે જોડાયેલા રોકાણ અને ખરીદી પર લાગેલા કડક પ્રતિબંધોને થોડા હળવા કરવા પર વિચાર કરી રહી છે. આ નિર્ણયનો સીધો હેતુ દેશમાં વિદેશી મૂડી લાવવાનો અને રોજગારી વધારવાનો છે.

