પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હિંસા વચ્ચે ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મધ્ય પૂર્વના મુદ્દે યોજાયેલી ખુલ્લી ચર્ચામાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતનેની હરીશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હોર્મુઝ જળડમરુમધ્યમાં કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. ભારતે આ સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી છે અને શાંતિ સ્થાપવા માટે અપીલ કરી છે.

