Omicron XBB.1.16: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ XBB.1.16નું નવું સ્વરૂપ આ સમયે સંક્રણના કેસોમાં વધારા માટે જવાબદાર હોઈ શકે છે. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે તેનાથી ગંભીર બીમારી અથવા મૃત્યુનો ખતરો નથી. ગુલેરિયાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નવા વેરિએન્ટ આવતા રહેશે કારણ કે વાયરસ સમયાંતરે મ્યુટેટ થતા રહે છે અને XBB.1.16 આ ગ્રુપનો જ એક નવો મેમ્બર છે."

