Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે તેમના બજેટ ભાષણમાં નવા 'સ્વામી' ફંડની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં એક લાખ યુનિટ પૂર્ણ કરવા માટે 15,000 કરોડ રૂપિયાનું નવું 'સ્વામી' ફંડ બનાવવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા ઘર ખરીદદારોને રાહત આપવાનો છે જેમના ઘરનો કબજો અટકી ગયો છે. કેન્દ્રએ નવેમ્બર 2019 માં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે સ્વામી નામના ભંડોળની જાહેરાત કરી હતી.