ટેક્સ પેયર્સ માટે સારા સમાચાર છે. જુલાઈમાં રજૂ કરવામાં આવેલા મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં ટેક્સ પેયર્સને થોડી રાહત મળી છે. પરંતુ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ થનાર આગામી બજેટમાં ઓછી આવક ધરાવતા ટેક્સ પેયર્સને મોટી રાહત મળે તેવી શક્યતા છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 3 લાખથી 7 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબમાં આવતા ટેક્સ પેયર્સને ટેક્સમાં ઘટાડાનો લાભ મળી શકે છે. ET નાઉના અહેવાલ મુજબ, સરકાર નવી સિસ્ટમ હેઠળ મુક્તિ મર્યાદા રૂ. 3 લાખથી વધુ વધારી શકે છે.

